મેં પ્રભુના કાર્યને કદી, પલટાતાં જોયા નથી || BhajanVANI || Me prabhu na karya ne kadi Palta ta joya nathi

















મેં પ્રભુના કાર્યને કદી, પલટાતાં જોયા નથી;
આંસુઓને આંખમાં પાછા જતાં જોયા નથી.

ખરતા નિહાળ્યા છે મેં ઘણા આ ગગનથી તારાઓ;
પણ ચાંદ-સૂરજને કદી, ખરી જતાં જોયા નથી.
.........................મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી

દોષ ન દે માનવી, વાતા વિશ્વના વાયુને;
જળચરોને જળ મહીં, રૂંધાતા કદી જોયા નથી.
........................મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી

સાધનાઓ ખૂબ કીધી, "નાઝીર" મેં આ વિશ્વમાં;
માનવીને મેં કદી પ્રભુ થતાં જોયા નથી.
.......................મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી.
#BhajanVANI

FOLLOW US ON YOUTUBEYOU TUBE

Comments