Shanti Pamade Tene Sant Kahiye Lyrics
Shri Narayan Swami Bapu & Shri Pranlal Vyas
Jugalbandhi
એના દાસનાં દાસ થઈને રહીએ;
જે શાંતિ પમાડે એને સંત કહીએ
વિદ્યાનું ધન મારા ગુરુજી બતાવે;
પછી માસ્તરનો માર શીદ ખાઈએ
શાંતિ પમાડે...
વૈદની દવા લેવા છતાં રોગ નવ જાવે;
પછી એની તે દવા શીદ લઈએ
શાંતિ પમાડે...
રાજની નોકરી કરવા છતાં ભૂખ ન ભાંગે;
તો એની તે વેઠે શીદ જઈએ
શાંતિ પમાડે...
લીધાં વળાવિયા છતાં ચોર લૂંટે;
એની તે સંગે શીદ જઈએ
શાંતિ પમાડે...
કલ્પ વૃક્ષ સેવીએ અને જો દરિદ્રતા ન જાયે;
તો એની તે છાંયામાં શીદ રહીએ
શાંતિ પમાડે...
"મહેતા નરસિંહ" ની આ સાચી છે વાણી;
શામળાને શરણે જઈએ
શાંતિ પમાડે...
#BhajanVANI



Comments
Post a Comment